નવી દિલ્હીઃ GST Council: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GST કાઉન્સિલની 49મી બેઠક આજે નવી દિલ્હીમાં યોજાઈ થઈ હતી અને આ GST કાઉન્સિલની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં એપેલેટ ટ્રિબ્યુનલની રચના ઉપરાંત પાન મસાલા અને ગુટખા પરના જીએસટી પર પણ ચર્ચા કરવામાં આવી હતી.


GST કાઉન્સિલની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવી મોટી જાહેરાત
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે GST કાઉન્સિલની બેઠક બાદ પ્રેસ-કોન્ફરન્સને સંબોધિત કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે રાજ્યોને 5 વર્ષથી બાકી રહેલ GST વળતર અથવા GST વળતરની રકમ બહાર પાડવામાં આવી રહી છે. આ અંતર્ગત 16982 કરોડ રૂપિયા રિલીઝ કરવામાં આવશે. GST કાઉન્સિલની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક સહિત ઘણા રાજ્યોના GST વળતર અંગે પણ માહિતી આપવામાં આવી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube