નવી દિલ્હી: હિન્દુ ધર્મમાં મહા માસ ખુબજ પવિત્ર અને વિશેષ મહિનો માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ પવિત્ર મહિનામાં, પૂજા અને દાન-પૂણ્ય કરવાથી દેવી દેવતા પ્રસન્ન થયા છે અને વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ મહા મહિનામાં આવી રહી છે ગુપ્ત નવરાત્રી. તમને જણાવી દઇએ કે, નવરાત્રી વર્ષમાં 2 વખત આવે છે. ચૈત્ર નવરાત્રી અને દશેરા પહેલા શરદ નવરાત્રી તે જ રીતે ગુપ્ત નવરાત્રી પણ 2 વખત આવે છે. મહા માસના શુક્લ પક્ષમાં અને બીજી અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી નવરાત્રી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે ગુપ્ત નવરાત્રી
આ વર્ષે, મહા મહિનાની ગુપ્ત નવરાત્રી 12 ફેબ્રુઆરી 2021 શુક્રવારથી શરૂ થશે, જે 9 દિવસ પછી, 21 ફેબ્રુઆરી, રવિવારે સમાપ્ત થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષની ગુપ્ત નવરાત્રી ઘણી વિશેષ છે કારણ કે આ સમયગાળા દરમિયાન ઘણા વિશેષ સંયોગો બની રહ્યા છે અને આ સમયગાળા દરમિયાન, દેવી દુર્ગાની (Goddess Durga) પૂજા કરવાથી ઇચ્છિત પરિણામો મળી શકે છે. ચૈત્ર અને શરદ નવરાત્રીમાં કોઈપણ માતાની પૂજા કરી શકે છે, પરંતુ ગુપ્ત નવરાત્રિમાં, મોટાભાગના તાંત્રિક (Tantrik) માત્ર માતાની પૂજા કરે છે.


આ પણ વાંચો:- આ 5 રાશિ માટે લકી છે ફેબ્રુઆરી મહિનો, નોકરી-વેપારમાં ખૂલશે નસીબના તાળા


આખરે કેમ કહેવાય છે આ ગુપ્ત નવરાત્રી
ચૈત્ર અને શરદ નવરાત્રીમાં જ્યાં માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે અને જાહેરમાં ભક્તિ કરવામાં આવે છે, ત્યારે શાસ્ત્રો અનુસાર ગુપ્ત સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે ગુપ્ત નવરાત્રી દરમિયાન વિશેષ વિધિ કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રી દરમિયાન દેવી ભગવતીના ગુપ્ત સ્વરૂપ દેવી કાલીની (Goddess Kali) પૂજા કરવામાં આવે છે પરંતુ ગુપ્ત રીતે. પૂજા, મંત્રો, પાઠ અને પ્રસાદ ગોપનીય રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતાની ઉપાસનાનું રહસ્ય ગુપ્ત નવરાત્રીમાં ગુપ્ત રાખવામાં આવે એટલું જ સારૂ ફળ પ્રાપ્ત થાય છે.


આ પણ વાંચો:- Palmistry: તમારી હથેળી રહેલી આ પૈસાની લાઇનને ઓળખો, જેથી તમે પણ બની શકો છો ધનવાન


માતાના આ 10 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે
મા કાળી
તારા દેવી
ત્રિપુરા સુંદરી
ભુવનેશ્વરી દેવી
મા છિન્નમસ્તા
ત્રિપુર ભૈરવી
મા ધ્રુમાવતી
માતા બગલામુખી
માતંગી
કમલા દેવી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube