નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની ખરાબ થતી સ્થિતિ (Corona crisis in india) વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતના ખાસ મિત્ર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બુધવારે ફોન પર વાત થઈ છે. આ દરમિયાન કોરોના સંક્રમણથી બનેલી ભયાનક સ્થિતિ સહિત અન્ય મુદ્દા પર બન્ને નેતાઓ વચ્ચે વાતચીત થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત બાદ પ્રધાનમંત્રી મોદીએ ખુદ આ વિશે ટ્વીટ કરતા કહ્યુ- મારા મિત્ર પુતિન સાથે આજે શાનદાર વાત થઈ. અમે કોરોનાની સ્થિતિનો સામનો કરવાની ચર્ચા કરી. કોરોના મહામારી વિરુદ્ધ ભારતની લડાઈમાં સમર્થન માટે હું રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માનુ છું. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube