નવી દિલ્હીઃ Nehru Memorial Museum And Library: કેન્દ્ર સરકારે દિલ્હીના તીન મૂર્તિ ભવન પરિસરમાં આવેલા નેહરૂ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય સોસાયટી (NMML)નું નામ બદલીને પ્રધાનમંસ્તી સંગ્રહાલય તથા પુસ્તકાલય સોસાયટી કરી દીધુ છે. તેને લઈને વિપક્ષ કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહ્યો છે. બંને પક્ષો વચ્ચે શાબ્દિક જંગ જોવા મળી રહ્યો છે. તેવામાં હવે કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ વિપક્ષ તરફથી કરવામાં આવી રહેલી ટિપ્પણી પર પલટવાર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેહરૂ સંગ્રહાલય અને પુસ્તકાલયનું નામ બદલવા પર કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ કહ્યુ- 1947 બાદ કેટલા પ્રધાનમંત્રી આવ્યા છે. પંડિત જવાહરલાલ નેહરૂનું યોગદાન છે, પરંતુ ત્યારબાદ લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, નરસિમ્હા રાવ જી, મનમોહન સિંહજીનું પણ યોગદાન રહ્યું છે તો માત્ર એક પ્રધાનમંત્રીનું નામ કેમ? હું વિપક્ષના નિવેદન પર શું કહ્યું. તે બિનજવાબદાર નિવેદન આપે છે. 


Fathers Day 18 JUNE: રાજનીતિની દુનિયામાં પિતાના વારસાને આગળ વધારી રહી છે આ દીકરીઓ


નેહરૂનું સત્તાવાર નિવેદન
તીન મૂર્તિ ભવન દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂનું સત્તાવાર નિવેદન હતું. આ કારણ છે કે કોંગ્રેસને તેનું નામ બદલવાને લઈને રોષ છે. હકીકતમાં સંસ્કૃતિ મંત્રાલયે શુક્રવાર (16 જૂન) એ કહ્યું કે એનએમએમએલ (NMML)ની એક વિશેષ બેઠકમાં તેનું નામ બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સોસાયટીના ઉપાધ્યક્ષ રક્ષામંત્રી રાજનાથ સિંહે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube