નવી દિલ્હીઃ આજથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થઈ ગયો છે. રાજ્યસભાની પ્રથમ દિવસની કાર્યવાહીમાં ડેપ્યુટી ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં એનડીએને મોટી જીત મળી છે. એનડીએના ઉમેદવાર હરિવંશ નારાયણ એકવાર ફરી રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન પદે ચૂંટાયા છે. તેઓ સતત બીજીવાર આ પદ માટે ચૂંટાયા છે. જ્યારે વિપક્ષના ઉમેદવાર મનોઝ ઝાનો પરાજય થયો છે. 


સંસદમાં Covid ટેસ્ટ પોઝિટિવ, જયપુરમાં ટેસ્ટ નેગેટિવ... સાસંદ હનુમાન બોલ્યા- કોને સાચો માનુ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરિવંશ નારાયણની ડેપ્યુટી ચેરમેન પદે નિમણૂક થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, હરિવંશ જી ગૃહના દરેક સભ્ય પ્રત્યે મારા મનમાં સન્માન છે. તેમણે આ સન્માન હાસિલ કર્યું છે. સંસદમાં તેમની નિષ્પક્ષ ભૂમિકા આપણા લોકતંત્રને મજબૂત કરે છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube