ચંદીગઢઃ હરિયાણાની મનોહર લાલ ખટ્ટર સરકારની કેબિનેટનો વિસ્તાર થવાનો છે. મંગળવારે સાંજે 4 કલાકે નવા મંત્રીઓ શપથ ગ્રહણ કરવાના છે. માનવામાં આવી રહ્યું છે કે નારાજ ધારાસભ્યોને મનાવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હરિયાણાના સીએમઓ તરફથી કેબિનેટ વિસ્તાર વિશે જાણકારી આપવામાં આવી છે. હાલ તે જાણવા મળ્યું નથી કે ક્યા મંત્રીઓને ખટ્ટર કેબિનેટમાં સામેલ કરવાના છે. હરિયાણાની ખટ્ટર સરકારનો આ બીજો કેબિનેટ વિસ્તાર છે. આ પહેલા 14 નવેમ્બરે પણ કેબિનેટનો વિસ્તાર થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019માં હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની હતી, પરંતુ બહુમતથી દૂર રહી હતી. ત્યારબાદ તેણે જનનાયક જનતા પાર્ટીની સાથે ગઠબંધન કરી સરકાર બનાવી હતી. ભાજપનને 90 સીટોવાળી વિધાનસભામાં 40 સીટો મળી હતી, જ્યારે 31 સીટો સાથે કોંગ્રેસ બીજા સ્થાને રહી ગઈ હતી. 10 સીટો જનનાયક જનતા પાર્ટીને મળી હતી. આ રીતે ભાજપ અને જેજેપીની મળીને વિધાનસભામાં કુલ 50 સીટો છે.


ચંદીગઢ કોર્પોરેશન ચૂંટણીમાં AAP ની ધમાકેદાર એન્ટ્રી, ભાજપ-કોંગ્રેસને લાગ્યો ઝટકો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube