નવી દિલ્હીઃ હાથરસ કેસને સીબીઆઈએ ટેકઓવર કરી લીધો છે. યોગી સરકારે હાથરસ કાંડની તપાસ માટે સીબીઆઈને ભલામણ કરી હતી. કેન્દ્ર સરકારના ડીઓપીટી વિભાગના નોટિફિકેશન બાદ સીબીઆઈએ હાથરસ કેસને પોતાના હાથમાં લીધો છે. જલદી સીબીઆઈ હાથરસ કેસની તપાસ શરૂ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજુ સુધી હાથરસ કાંડની તપાસ એસઆઈટી કરી રહી હતી. હાલમાં આ તપાસને પૂરી કરવા માટે યૂપી સરકારે વધુ 10 દિવસનો સમય આપ્યો હતો, જેથી સત્ય સામે આવી શકે. માનવામાં આવી રહ્યું છે કે આ મામલામાં વધતા પેચને કારણે સરકારે આ નિર્ણય કર્યો, પરંતુ હવે મામલો સીબીઆઈની પાસે પહોંચી ગયો છે. 


હાથરસ કાંડઃ 'ફેક નક્સલ ભાભી' થઈ વાયરલ, લોકો પૂછી રહ્યું છે- આખરે આ કોણ છે?


3 ઓક્ટોબરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસ કેસની તપાસ માટે સીબીઆઈ પાસે કરાવવાનો આદેશ આપ્યો હતો. યોગી સરકારે આ આદેશ બાદ ગેંગરેપ પીડિતાની ભાભીએ કહ્યું હતું કે, અમે સીબીઆઈ તપાસ ઈચ્છતા નથી. કેસની ન્યાયિક તપાસ થવી જોઈએ. અમે જજની નજર હેઠળ તપાસ ઈચ્છીએ છીએ. 


Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો દેશના અન્ય સમાચાર