નવી દિલ્હી: કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેમણે આપેલા વિવાદિત નિવેદન અંગે સ્પષ્ટીકરણ આપ્યું છે. વાત જાણે એમ છે કે તેમણે 9 એપ્રિલના રોજ એક રેલીમાં કહ્યું હતું કે પીએમ મોદી દરરોજ સવારે ઉઠ્યા બાદ ચહેરા પર ચમક લાવવા માટે મેકઅપ કરે છે. પોતાના આ નિવેદન પર સ્પષ્ટીકરણ કરતા તેમણે કહ્યું કે, 'ભાજપના તમામ લોકો કહે છેકે પીએમ મોદીનો ચહેરો જુઓ અને અમને મત આપો, એટલે મેં આવું કહ્યું હતું.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીએ મમતા બેનરજી પર સાધ્યું નિશાન, કહ્યું- 'મતદાનના રિપોર્ટે દીદીની ઊંઘ ઉડાવી દીધી'


તેમણે બાલાકોટ એર સ્ટ્રાઈક મુદ્દે પણ પીએમ મોદી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે પીએમ મોદી ચૂંટણી રેલીઓમાં એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરે છે. પરંતુ તેમના દ્વારા તેમની ઓફિસ (પીએમઓ)નો દૂરઉપયોગ કરવો એ ખોટું છે. તેમણે કહ્યું કે આ દેશમાં અગાઉ પણ અનેક વડાપ્રધાન રહ્યાં. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ પણ થયા. પરંતુ ક્યારેય કોઈએ તેને મુદ્દો બનાવીને લાભ ઉઠાવ્યો નથી. પીએમ મોદી દેશની જનતાને ગુમરાહ કરી રહ્યાં છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...