નવી દિલ્હીઃ Coromandel Train Accident: ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે (2 જૂન) ના રોજ થયેલા ટ્રેન અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ફરી એકવાર અપડેટ કરવામાં આવી છે. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ રવિવારે (4 જૂન) ના રોજ માહિતી આપી હતી કે અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 288 નહીં, પરંતુ 275 છે.
 
રાજ્યના મુખ્ય સચિવે કહ્યુ કે, મૃતકોના આંકડાની ડીએમ તરફથી તપાસ કરવામાં આવી હતી અને તે જાણવા મળ્યું કે કેટલાક મૃતદહોને બે વાર ગણી લેવામાં આવ્યા હતા. તેથી જીવ ગુમાવનારાની સંખ્યામાં સંશોધન કરી આંકડાને 275 કરી દેવામાં આવ્યો છે. મુખ્ય સચિવે કહ્યુ કે 275માંથી 88 મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે. 


કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી કે માલગાડીને ટક્કર મારી? રેલવે બોર્ડે આપી માહિતી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોમંડલ એક્સપ્રેસ યશવંતપુર એક્સપ્રેસની છેલ્લી બે બોગી સાથે અથડાઈ હતી
જયા વર્માએ વધુમાં જણાવ્યું હતું કે માલસામાન ટ્રેન પાટા પરથી ઉતરી ન હતી કારણ કે માલસામાન ટ્રેન લોખંડનું વહન કરતી હતી. જેના કારણે કોરોમંડલ એક્સપ્રેસને સૌથી વધુ નુકસાન થયું હતું. તે મોટી સંખ્યામાં મૃત્યુ અને ઇજાઓનું કારણ છે. કોરોમંડલ એક્સપ્રેસના પાટા પરથી ઉતરેલા કોચ ડાઉન લાઇન પર આવ્યા અને ડાઉન લાઇન પર 128 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહેલી યશવંતપુર એક્સપ્રેસના છેલ્લા બે કોચ સાથે અથડાઈ.


જવાબદારોની ઓળખ કરવામાં આવી છે - જયા વર્મા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અકસ્માત માટે જવાબદાર લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. જો કે, તે અત્યારે જાહેર કરી શકતી નથી, કારણ કે તપાસ હજુ ચાલુ છે. એક પ્રશ્નના જવાબમાં જયાએ કહ્યું કે શું થયું હશે તે સમજવાનો પ્રયાસ કરી રહી છું. અમારી પાસે ડિજિટલ રેકોર્ડ છે જે કોઈ ભૂલ બતાવતો નથી, પરંતુ અકસ્માત થયો એટલે કંઈક ખોટું થયું. અમે પ્રારંભિક જાણીએ છીએ, પરંતુ CRS રિપોર્ટની રાહ જુઓ.


આ પણ વાંચોઃ Haunted: આ છે ભારતનું ભૂતિયા રેલ્વે સ્ટેશન, સૂર્યાસ્ત પછી લોકો નથી મુકતા અહીં પગ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube