નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે (p chidambaram) દેશના આર્મી ચીફ બિપિન રાવતને (bipin rawats) સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તેમણે નેતાઓને સલાહ ન આપવી જોઈએ, તેઓ સેનાના જનરલ છે અને તેમણે પોતાના કામથી કામ રાખવુ જોઈએ. તિરુવનંતપુરમમાં કોંગ્રેસના સ્થાપના દિવસે પી ચિદમ્બરમે સરકાર પર પણ પ્રહારો કર્યાં છે.
તેમણે કહ્યું કે, ડીજીપી અને આર્મીના જનરલોને સરકારનું સમર્થન કરવાનું કહેવામાં આવી રહ્યું છે, આ શરમની વાત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કામથી કામ રાખે આર્મી ચીફ
કોંગ્રેસ પાર્ટીના 135માં સ્થાપના દિવસ પર તિરુવનંતપુરમમાં એક રેલીમાં પી ચિદમ્બરમે કહ્યું, 'ડીજીપી, આર્મી જનરલને સરકારને સમર્થન કરવાનું કહેવામાં આવી રહ્યું છે... આ શરમજનક છે.. મારે જનરલ રાવતને અપીલ કરવી છે કે તમે આર્મીના ચીફ છો અને પોતાના કામથી કામ રાખો... જે નેતાઓએ કરવાનું છે તે નેતાઓ કરશે. આ આર્મીનું કામ નથી કે તે નેતાઓને કહે કે અમારે શું કરવું જોઈએ. જેમ કે તે અમારૂ કામ નથી કે અમે તમને જણાવીએ કે યુદ્ધ કેમ લડવુ જોઈએ?' જો તમે એક જંગ લડી રહ્યાં હોવ તો અમે તમને કહેતા નથી કે યુદ્ધ આ રીતે લડો. તમે યુદ્ધ તમારા મજગથી લડો છો. આ દેશમાં રાજનીતિ અમે કરીશું.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....