નવી દિલ્હી: ઉન્નાવ રેપ કેસની સુપ્રીમમાં સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે તમામ કેસોને ઉત્તર પ્રદેશથી દિલ્હી ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. દેશની સર્વોચ્ચ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે આ મામલે હજુ સુધી થયેલી તપાસ અને રાયબરેલીમાં આ અઠવાડિયે થયેલા રોડ અકસ્માત અંગે સંપૂર્ણ જાણકારી માંગી છે. કોર્ટે ઉન્નાવ કેસમાં તપાસના સ્ટેટસ રિપોર્ટ અને એક્સિડન્ટ કેસમાં અત્યાર સુધી થયેલા સીબીઆઈ તપાસ રિપોર્ટને 12 વાગ્યા સુધીમાં આપવા જણાવ્યું છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વવાળી બેન્ચે સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે 12 વાગ્યા સુધીમાં સીબીઆઈના  કોઈ જવાબદાર અધિકારીને બોલાવો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યસભામાં બિલ પાસ, જો હવે ટ્રાફિક નિયમ તોડ્યા તો ભારે ભરખમ દંડ માટે રહો તૈયાર 


ફોનથી માહિતી મેળવીને અત્યારે આપો સ્ટેટસ રિપોર્ટ: CJI
સોલિસિટર જનરલે સીબીઆઈ ડાઈરેક્ટર સાથે વાત કર્યા બાદ સીજેઆઈને જણાવ્યું કે આવામાં તેમનું બપોર સુધીમાં પહોંચવું મુશ્કેલ છે. સોલિસિટર જનરલે કોર્ટેને વિનંતી કરી કે આ મામલાની સુનાવણી કાલે થઈ શકે છે. સીજેઆઈએ આ મામલે સુનાવણી કાલે કરવાની ના પાડતા કહ્યું કે સીબીઆઈ ડાઈરેક્ટરને કહો કે તપાસ અધિકારી પાસેથી ફોન પર પૂરેપૂરી જાણકારી લઈ લે અને બપોરે 12 વાગ્યા સુધીમાં કોર્ટને અત્યાર સુધીની તમામ તપાસ અંગે જણાવે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...