ભોપાલ: મધ્ય પ્રદેશની ભોપાલ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને ટિકિટ મળતા એકબાજુ ચારેબાજુ વિરોધના સ્વર ઉઠી રહ્યાં છે ત્યાં ખુબ પ્રજ્ઞા ઠાકુરે પણ મુંબઈ હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરે પર વિવાદિત નિવેદન આપતા તેમની ટીકા થઈ રહી છે. સાધ્વીએ 26/11 આતંકી હુમલામાં શહીદ થયેલા ATS ચીફ હેમંત કરકરે અંગે કહ્યું છે કે, 'તેમને તેમના કર્મોની સજા મળી છે. તેમણે મને ખોટી રીતે ફસાવી હતી. હેમંત કરકરે મને ગમે તે ભોગે આતંકવાદી જાહેર કરવા માંગતા હતાં.'


ચૂંટણી ટાણે જ કોંગ્રેસ માટે માઠા સમાચાર, ફાયરબ્રાન્ડ મહિલા નેતાએ પાર્ટી છોડ્યાની અટકળો તેજ


દેશના વધુ સમચાારો વાંચવા માટે કરો ક્લિક...