શિમલાઃ હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં બુધવારે એક ભીષણ ભૂસ્ખલનમાં એક બસ અને અન્ય ઘણા વાહન કાટમાળની ઝપેટમાં આવી ગયા છે. જે બસ દુર્ઘટનાનો શિકાર હોવાની ખબર છે, તેમાં 40થી 45 લોકો સવાર હોવાની વાત કહેવામાં આવી રહી છે. શરૂઆતી ઇનપુટ્સ અનુસાર દુર્ઘટના કિન્નૌરમાં રેકોન્ગ પિયો-શિમલા હાઈવે પર થઈ છે. છેલ્લે મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 10 લોકોને રેસ્ક્યૂ કરાયા છે. હજુ પણ અનેક લોકો ગૂમ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube