નવી દિલ્હી: લોકો સારી નોકરી મેળવવા માટે મહેનત કરે છે, જેથી કરીને તેમનું જીવન સારી રીતે પસાર થઈ શકે. પરંતુ અમે તમને એક એવી મહિલા વિશે જણાવીએ છીએ કે જેણે લોકોની મદદ કરવા માટે પોતાની સારી નોકરી  છોડી દીધી અને ખેતી કરવા લાગી. આ કહાની ઉત્તરખાંડની હિરેશા વર્માની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિરેશા દહેરાદૂનની રહીશ છે અને તેમણે દિલ્હીથી આઈટીનો અભ્યાસ કર્યો છે. 2013માં જ્યારે કેદારનાથમાં વાદળ ફાટવાની ભયાનક ત્રાસદી આવી હતી ત્યારે તેણે ટીવી પર તે દ્રશ્યો જોયા હતા. આ આફતમાં સેંકડો લોકોના મોત અને હજારો લોકો ગુમ થયાની ખબરે તેને ખુબ અસર કરી હતી. ત્યારબાદ હિરેશાએ આ આફત પીડિતોને મદદ કરવાનું નક્કી કરી લીધુ અને દિલ્હી છોડીને ઉત્તરાખંડ પહોંચી ગઈ. લોકોની મદદ અને રાહત પહોંચાડવા માટે તે એક એનજીઓ સાથે કામ કરવા લાગી. 


મહિલાઓની મદદમાં લાગ્યા
હિરેશાએ The Better India સાથે વાતચીતમાં જણાવ્યું કે આફત પીડિત મહિલાઓ સાથે વાતચીતમાં તેમણે જાણ્યું કે તેમના પતિ ગૂમ થઈ ગયા છે. આ તમામ મહિલાઓના પતિ ગાયબ થયા બાદ ખુબ નિરાશ હતી અને તેમની પાસે ગુજરાન ચલાવવા માટે કોઈ વ્યવસ્થા પણ નહતી. બિઝનેસ મેનેજમેન્ટમાં પીજી  અને કેમિસ્ટ્રી તથા બોટનીમાં ગ્રેજ્યુએટ હિરેશાએ પોતાનુ બધુ જ્ઞાન આ મહિલાઓની મદદ કરવામાં લગાડી દીધુ. આ માટે તેમણે મહિલાઓને આ સંકટથી બહાર લાવવા માટે અનેક ઉપાયો પર રિસર્ચ કરવાનું શરૂ કરી દીધુ. 


મશરૂમની ખેતીનો નિર્ણય લીધો
હિરેશાએ જણાવ્યું કે ખુબ વિચાર્યા બાદ તેમણે મશરૂમની ખેતી કરવાનું નક્કી કર્યું. ઉત્તરાખંડનું હવામાન તેના માટે યોગ્ય છે અને આ એક એવો ઉપાય છે કે જેનાથી મહિલાઓની સમસ્યાઓ ખણી ખરી દૂર થઈ શકે છે. ત્યારબાદ હિરેશાએ દહેરાદૂનમાં પોતાના ઘર પર મશરૂમ ઉગાડવાનો પ્રયોગ કરવા 2000 રૂપિયાનું રોકાણ કર્યું. જ્યારે આ પ્રયોગ સફળ રહ્યો તો તેમણે હિમાચલ પ્રદેશમાં મશરૂમ અનુસંધાન નિદેશાલયમાં તેની સંબંધિત ટ્રેનિંગ લીધી. ત્યારબાદ તે જ વર્ષે તેમણે 1.5 એકર જમીન પર મશરૂમની ખેતી કરવા માટે હેનઝેન ઈન્ટરનેશનલ (Hanzen International) ની સ્થાપના કરી. 


2013માં હિરેશાએ નોકરી છોડી દીધી અને મશરૂમની ખેતી શરૂ કરવા માટે દહેરાદૂન જતા રહ્યા. તેમણે આ ક્ષેત્રની 2000થી વધુ મહિલાઓને સ્થાયી આજીવિકા મેળવવામાં અને તેમની આવકમાં લગભગ 30 ટકા વૃદ્ધિ કરવામાં મદદ કરી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube