નવી દિલ્હી: આજે લોકસભા (Loksabha) માં બજેટ સત્રના પહેલા તબક્કાનો છેલ્લો દિવસ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન સંશોધક વિધેયક  (Jammu and Kashmir Reorganisation (Amendment) Bill, 2021) પર ચર્ચા દરમિયાન કહ્યું કે જમ્મુ કાશ્મીરના હાલાતને આપણે સમજવા પડશે. તેમણે કહ્યું કે કલમ 370 પર 17 મહિનામાં વિપક્ષ અમારી પાસે હિસાબ માંગી માંગી રહ્યો છે. હું તેમને પૂછવા માંગુ છું કે 70 વર્ષ સુધી તેમણે શું કર્યું? તેમણે વધુમાં કહ્યું કે પેઢીઓ સુધી જમ્મુ કાશ્મીર પર શાસન કરનારા જણાવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે (Amit Shah) કહ્યું કે અહીં કહવાયું છે કે કલમ 370 હટાવતી વખતે જે વચન અપાયા હતા, તેનું શું થયું? હું જરૂર તેનો જવાબ આપીશ. પરંતુ કલમ 370 હટ્યે હજુતો 17 મહિના જ થયા છે. તમે 70 વર્ષ શું કર્યું તેનો હિસાબ લઈને આવ્યા છો કે શું? 


અસદુદ્દીન ઓવૈસીને આપ્યો જવાબ
ગૃહમંત્રી અમિત શાહે AIMIM ના સાંસદ અસદુદ્દીન ઓવૈસીને જવાબ આપતા કહ્યું કે  ઔવેસી કહે છે કે જમ્મુ અને કાશ્મીરમાં મુસલમાન ઓફિસરોની સંખ્યા ઓછી છે. ઓવૈસી સાહેબ ઓફિસરોને પણ હિન્દુ અને મુસ્લિમમાં વહેંચે છે. એક મુસ્લિમ ઓફિસર હિન્દુ જનતાની સેવા ન કરી શકે, કે હિન્દુ ઓફિસર મુસ્લિમ જનતાની સેવા ન કરી શકે? ઓફિસરોને હિન્દુ મુસ્લિમમાં વહેંચો છો અને પોતાને સેક્યુલર કહો છો. શું કાશ્મીરી યુવકોને દેશની ઓલ ઈન્ડિયા કેડરમાં આવવાનો હક નથી? જો શાળાઓ ન બાળી મૂકી હોત તો કાશ્મીરના બાળકો પણ આજે IAS અને IPS બન્યા હોત. 


Nirmala Sitharaman ના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું-કૃષિ કાયદામાં શું કમી છે તે રાહુલ ગાંધી જણાવે


ગૃહમંત્રીએ વધુ પ્રહાર કરતા કહ્યું કે અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે 2જીમાંથી 4જી વિદેશીઓના દબાણમાં કર્યું છે. તેમને ખબર નથી કે આ યુપીએની સરકાર નથી, જેનું તેઓ સમર્થન કરતા હતા. આ નરેન્દ્ર મોદીની સરકાર છે, તેમાં દેશની સરકાર, દેશની સંસદ, દેશ માટે નિર્ણય લે છે. 


પૂર્ણ રાજ્યનો દરજ્જો
અમિત શાહે કહ્યું કે આ બિલમાં એવું ક્યાંય લખ્યું નથી કે તેનાથી જમ્મુ અને કાશ્મીરને સ્ટેટહૂડ નહીં મળે. હું ફરીથી કહું છું કે આ બિલને જમ્મુ અને કાશ્મીરના સ્ટેટહુડ સાથે કોઈ સંબંધ નથી. યોગ્ય સમયે પ્રદેશને સ્ટેટહૂડ ( statehood) એટલે કે પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. 


મોદી સરકાર બાદ પંચાયતી રાજની શરૂઆત
અમિત શાહે કહ્યું કે અમારી સરકાર આવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાં પંચાયતી રાજની શરૂઆત થઈ છે. પહેલા જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ લોકો પરિવારના લોકો જ શાસન કરતા હતા. આથી તેઓ કલમ 370ના પક્ષમાં રહેતા હતા. ડિસેમ્બર 2018માં જમ્મુ અને કાશ્મીરની નીચલી પંચાયતની ચૂંટણી થઈ. જેમાં 74% લોકોએ મતદાન કર્યું. કાશ્મીરના ઈતિહાસમાં આટલું મતદાન ક્યારેય થયું નથી. ત્યાં લગભગ 3650 સરપંચ ચૂંટાયા, 33,000 પંચ ચૂંટાયા. હવે ત્યાં રાજા-રાણીના પેટથી નેતા નહીં બને, મતથી નેતા ચૂંટાઈ આવશે. 


આતંકીઓની નજર ભારતના 'જેમ્સ બોન્ડ' Ajit Doval પર, જૈશના આતંકીએ કર્યો પાકિસ્તાનના પ્લાનનો ખુલાસો 


તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરની પંચાયતોને અમે અધિકાર આપ્યા છે, બજેટ આપ્યું છે. પંચાયતોને સુદ્રઢ બનાવી છે. પ્રશાસનના 21 વિષયોને પંચાયતોને આપ્યા છે. લગભગ 1500 કરોડ રૂપિયા સીધા બેન્ક ખાતામાં નાખીને જમ્મુ કાશ્મીરના ગામડાના વિકાસનો રસ્તો સુનિશ્ચિત કર્યો છે. 


અત્રે જણાવવાનું કે આ પહેલા આજે લોકસભામાં AIMIM ના નેતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે પરંતુ આ બાજુ કેન્દ્ર ત્યાંના કેડરને ખતમ કરી રહી છે, આખરે સરકારની દાનત શું છે. 


Jammu Kashmir થી બહાર થઈ શકશે IAS,IPS IFS ઓફિસરોની તૈનાતી, સરકારે વિધેયક રજુ કર્યું
અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરમાં તૈનાત જમ્મુ કાશ્મીર કેડરના IAS, IPS, IFS ઓફિસરોની નિયુક્તિ હવે રાજ્યની બહાર પણ થઈ શકશે. સરકારે આજે લોકસભામાં જમ્મુ કાશ્મીર પુર્નગઠન (સંશોધન) બિલ, 2021 (Jammu Kashmir Reorganization (Amendment) Bill, 2021) ચર્ચા માટે રજુ કર્યું. આ વિધેયકમાં જમ્મુ કાશ્મીર કેડરના IAS,IPS IFS ની તૈનાતી હવે અરુણાચાલ પ્રદેશ, ગોવા, મિઝોરમ, દિલ્હી, ચંડીગઢ સહિત અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશોમાં (AGMUT) પણ થઈ શકશે. સરકારના જણાવ્યાં મુજબ આ બિલ જમ્મુ કાશ્મીર પુર્નગઠન (સંશોધન) વટહુકમનું સ્થાન લેશે. જે ગત મહિને બહાર પાડવામાં આવ્યો હતો. વિધેયક મુજબ જમ્મુ કાશ્મીર અને લદાખમાં ઓફિસરોની તમામ નિયુક્તિ હવે AGMUT કેડરથી કરવામાં આવશે. આ બિલ રાજ્યસભામાં પાસ થઈ ચૂક્યું છે. 


ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ રજુ કર્યું બિલ
બિલને લોકસભામાં રજુ કરતા ગૃહરાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના નાગરિકોનું સપનું પૂરું કર્યું છે અને બંને પ્રદેશોને વિકાસ તરફ લઈ જવાનો પ્રયત્ન ચાલુ છે. વિધેયક પર ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ આપત્તિ જતાવતા કહ્યું કે જો નિયમિત અધ્યાદેશ લાવવામાં આવશે તો સંસદીય લોકતંત્ર માટે સારું નથી. તેમણે કહ્યું કે અધ્યાદેશ લાવવો જોઈએ પરંતુ કટોકટીની સ્થિતિમાં. તેમણે બિલ ઉપર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે કલમ 370ને સમાપ્ત કરતા અને જમ્મુ કાશ્મીર પુર્નગઠન વિધેયકને લાગુ કરતા સરકારે સમગ્ર દેશને હસીન સપના દેખાડ્યા હતા. લોકોને કહ્યું હતું કે તેનાથી જમ્મુ કાશ્મીરમાં રોજગાર, પર્યટનની તકો વધશે અને આતંકવાદ ખતમ થશે. પરંતુ દોઢ વર્ષ બાદ પણ રાજ્યમાં હાલાત સામાન્ય થયા નથી. આતંકની ઘટનાઓ ચાલુ છે. લોકોમાં ડરનો માહોલ બનેલો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube