ઉત્તર પ્રદેશના કૈરાનાના દરબાર કલ્લા મોહલ્લામાં એક એવી શોકિંગ ઘટના સામે આવી કે જાણીને હચમચી જશો. પીજીઆઈ રોહતકમાં દાખલ બીમાર પત્નીના નિધનની સૂચના મળતા જ પતિએ પણ દમ તોડી નાખ્યો. ફોન પર જેવા પત્નીના મોતના સમાચાર મળ્યા કે પતિથી આ આઘાત સહન થયો નહીં અને તેનું મોત નિપજ્યું. પરિજનોમાં શોકનું મોજું ફરી વળ્યું. પત્નીનો મૃતદેહ ઘરે પહોંચતા જ બંનેના જનાજા એક સાથે જ્યારે ઘરેથી ઉઠ્યા તો લોકો ભાવુક થઈ ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોહલ્લા દરબાર કલ્લા રહીશ 60 વર્ષના અન્નો અબ્દુલ સલામ કુરેશીના પત્ની બીમાર હતા. ચાર દિવસ પહેલા તેમની તબિયત બગડતા તેમને પાનીપતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ સ્થિતિ સુધરી નહીં અને બે દિવસ પહેલા જ તેમને રોહતકના પીજીઆઈમાં ખસેડાયા. એવું કહેવાય છે કે મંગળવારે સવારે લગભગ સાડા ચાર વાગે મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. એવું કહેવાય છે કે મહિલાની દેખભાળ માટે રોકાયેલા પરિજનોએ સવારે ફોન પર સૂચના આપી હતી. 


લીલા તોરણે જાન રિટર્ન! સાત ફેરા ફરતા પહેલાં દુલ્હાએ કર્યો કાંડ, દુલ્હન રૂમમાંથી...


એમ કહેવાય છે કે પત્નીના મોતના સમાચાર મળતા જ સલામ કુરેશીની તબિયત બગડી ગઈ અને તેઓ જમીન પર ફસડાઈ પડ્યા અને બેહોશ થઈ ગયા. પરિજનો તેમને શામલીની ખાનગી હોસ્પિટલ લઈને આવ્યા તો ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. પરિજનો સલામ કુરેશીના મૃતદેહને ઘરે લઈ ગયા. ત્યારબાદ સલામ કુરેશનીના પત્ની અન્નોના મૃતદેહની પણ ઘરે લાવવામાં આવે ત્યાં સુધી રાહ જોવામાં આવી. ત્યારબાદ બંને પતિ પત્નીના જનાજા ઘરેથી એક સાથે ઉઠ્યા ત્યારે મોહલ્લામાં શોક છવાઈ ગયો. ગમગીન માહોલમાં કબ્રસ્તાનમાં સુપુર્દ એ ખાક કરવામાં આવ્યા. 


લગ્ન પહેલાં દુલ્હને એવો કર્યો કાંડ, પરિવાર અને ભાવિ પતિ સદમામાં, પોલીસના હોશ ઉડ્યા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube