બેંગ્લુરુ: કર્ણાટકના મુખ્યમંત્રી બદલવાની ચર્ચા ચારેકોર છે. ગત અઠવાડિયે સીએમ બી એસ યેદિયુરપ્પાએ પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે દિલ્હીમાં કરેલી બેઠક બાદ અટકળો તેજ થઈ હતી. આ બધા વચ્ચે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ પદ છોડવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે હાઈ કમાન જે નિર્દેશ આપશે તેને તેઓ માનશે. 


ભાજપને સત્તામાં લાવવી તે મારું કર્તવ્ય-યેદિયુરપ્પા
સીએમ બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે, અમારી સરકારના 2 વર્ષ પૂરા થયાના અવસરે 26 જુલાઈના રોજ એક કાર્યક્રમ છે. ત્યારબાદ પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડા જે પણ નિર્ણય લેશે, તેનું હું પાલન કરીશ. ભાજપને સત્તામાં પાછો લાવવો એ મારું કર્તવ્ય છે. હું પાર્ટી કાર્યકરો અને સમર્થકોને સહયોગ કરવાનો આગ્રહ કરું છું.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube