IAS Shah Faesal on Muslims in India: ઋષિ સુનકના બહાને ભારતીય લોકતંત્ર પર નિશાન સાધતા લોકોને કાશ્મીરના સીનિયર IAS શાહ ફૈસલે જડબાતોડ જવાબ આપી બોલતી બંધ કરી દીધી. તેમણે શું કહ્યું તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IAS Shah Faesal on Muslims in India: ઋષિ સુનક બ્રિટનના પ્રધાનમંત્રી બન્યા બાદ ભારતના અનેક વિપક્ષી નેતાઓ હવે એ વાત પર સવાલ ઉઠાવી રહ્યા છે કે શું ભારતમાં પણ અલ્પસંખ્યક સમુદાયના પીએમ શક્ય છે? સવાલ ઉઠાવનારા એ વાત ભૂલી જાય છે કે મોદી સરકારના સત્તામાં આવ્યા પહેલા અલ્પસંખ્યક સમુદાયના ડોક્ટર મનમોહન સિંહ જ 10 વર્ષ સુધી દેશના પ્રધાનમંત્રી પદે હતા. આ ઉપરાંત અનેક મુસ્લિમ અને શીખ રાષ્ટ્રપતિ પણ બની ચૂક્યા છે. હવે આ લોકોને કાશ્મીરના સીનિયર આઈએએસ શાહ ફૈસલે પણ અરીસો દેખાડ્યો છે. 


આપ્યો આ જડબાતોડ જવાબ
વર્ષ 2009માં IAS માં ટોપર રહી ચૂકેલા શાહ ફૈસલે કહ્યું કે ભારતમાં મુસલમાનોને જેટલી આઝાદી મળેલી છે તેટલી કથિત મુસ્લિમ દેશોમાં પણ નથી. મૌલાના આઝાદથી લઈને ડો.મનમોહન સિંહ, ડો.ઝાકિર હુસૈનથી લઈને રાષ્ટ્રપતિ મુર્મૂ સુધી, ભારત હંમેશાથી બધા માટે સમાન તકોવાળો દેશ રહ્યો છે. ફૈસલે  કહ્યું કે દેશમાં ટોચના પદો સુધી પહોંચવાના રસ્તા હજુ પણ બધા માટે ખુલ્લા છે અને આ બધુ તેમણે પોતે શિખર પરથી જોયું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube