ભોપાલ : લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) માં મધ્યપ્રદેશની ભોપાલ સીટ પર હવે તમામ લોકોની નજર રહેશે. આ સીટ પર કોંગ્રેસના પુર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને ઉતારીને આ યુદ્ધની લડાઇને વધારે આકરી કરી દીધી છે. ગત્ત 30 વર્ષમાં કોંગ્રેસ ક્યારે પણ આ સીટને જીત નથી મેળવી શકી. જો કે આ વખતે કોંગ્રેસે લડાઇને વધારે રોચક બનાવી દીધી છે. હવે સવાલ એ પેદા થાય છેકે આ સીટ પર ભાજપ કોને ઉતારશે. 
એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાનનાં બદલે વિપક્ષ પરેશાન છે: રાજનાથ સિંહ

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ હાઇકમાન્ડ પણ આ સમજુતી છે કે જો શિવરાજ નથી તો  તેને ભોપાલ જેવી સીટને બચાવવા માટે તેને કોઇ ફાયરબ્રાંડ નેતાની જરૂર પડશે, પરંતુ ભાજપે ગત્ત 15 વર્ષનાં શાસનમાં ભાજપની પાસે મધ્યપ્રદેશમાં કોઇ એવા નેતા નથી બચ્યા. સૌથી મોટા અને લોકપ્રિય નેતા શિવરાજ સિંહ ચૌહાણ જ છે, જે દિગ્વિજય સિંહને ટક્કર આપી શકે છે. 


સિંધમાં હિંદુ યુવતીઓનાં અપહરણનો રિપોર્ટ સ્વરાજે મંગાવતા પાક.ને મરચા લાગ્યા

16 વર્ષ પહેલા દિગ્વિજય સિંહ અને શિવરાજ વચ્ચે બબાલ થઇ હતી
જો ભોપાલમાં દિગ્વિજય સિંહે સામે ભાજપે શિવરાજને ઉતાર્યું તો બંન્નેની બીજી વખત ચૂંટણી લડાઇ થશે. આ અગાઉ 2003માં જ્યારે વિધાનસભા ચૂંટણી યોજાઇ તો, તે સમયે ભાજપે રાધોગઢમાં દિગ્વિજય સિંહની સામે શિવરાજને ઉતાર્યા હતા. દિગ્વિજય ત્યારે પ્રદેશના મુખ્યમંત્રી હતા, જો કે શિવરાજ ચૂંટણી હારી ગયા હતા. જો કે તેમણે દિગ્વિજય સિંહને તેમના જ  ઘરમાં સારી ટક્કર આપી હતી. આ વખતે મુદ્દો અલગ છે. હવે શિવરાજ ાશરે 13 વર્ષ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. પ્રદેશનો સૌથી લોકપ્રિય ચહેરો છે. ઉપરથી દિગ્વિજય પોતાની હોમ ટર્ફ પર નથી.