નવી દિલ્હી: કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીએ ખુબજ કડક શબ્દોમાં આતંકીઓ અને તેમના સહારો આરપનાર પાકિસ્તાનને ચેતવણી આપી છે. અરૂણ જેટલીએ બુધવારે દિલ્હીના એક કાર્યક્રમમાં કહ્યું કે જ્યારે અમેરિકા પાકિસ્તાનમાં ઘૂસી ઓસામા બિન લાદેનને મારી શકે છે તો કંઇપણ સંભવ છે. ભારત પણ આવું કરી શકે છે. નાણા મંત્રીએ જ્યારે આ વાત કરી તે સમયે તેમની સાથે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને ધ્રમેન્દ્ર પ્રધાન પણ હાજર હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેટલીએ કહ્યું કે એક સમયે વિચારવામાં પણ ન આવતું હતું, પરંતુ અમેરિકાએ કરી દેખાડ્યું હતું. અમેરિકાએ પાકિસ્તાનના ઇબટાબાદમાં જઇને આતંકી ઓસામા બિન લાદનને માર્યો હતો. આ બધુ જ માત્ર ઇચ્છા શક્તિથી થાય છે. જે હવે સંભવ છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો....