શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી એક કલાકની અંદર આતંકીઓએ ત્રણ હુમલાની ઘટનાને અંજામ આપ્યો છે. પ્રથમ હુમલો કાશ્મીરના જાણીતા ફાર્મસી કારોબારી પર થયો. ત્યારબાદ શ્રીનગરના મદીન સાબિબમાં એક સ્ટ્રીટ હોકર પર આતંકીઓએ ગોળીઓનો વરસાદ કર્યો અને હવે બાંદીપુરા જિલ્લામાં એક સામાન્ય નાગરિકની ગોળીમારી હત્યા કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે કહ્યું કે, આતંકીઓએ જે વ્યક્તિને નિશાન બનાવ્યો છે તેની ઓળખ નાયદખાઈ નિવાસી મોહમ્મદ શફી લોનના રૂપમાં થઈ છે. આ વિસ્તારની ઘેરાબંધી કરી આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઘટના બાદ સંપૂર્ણ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. ઘટનાવાળા ક્ષેત્રમાં પોલીસની તૈનાતી પણ કરી દેવામાં આવી છે. 


કેન્દ્રીય મંત્રી મનસિખ માંડવિયાને મળી PhD ની ડિગ્રી, કહ્યું- આ મારા માટે મહત્વની સિદ્ધિ  


તો ત્રીજી ઘટના પણ શ્રીનગરમાં ઘટી, જ્યાં એક સ્ટ્રીટ હોકરને આતંકીઓએ ગોળીઓ મારી. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યુ કે, આતંકીઓએ શ્રીનગર શહેરના બહારના વિસ્તારમાં આ ઘટનાને અંજામ આપ્યો છે. હાલમાં આ ત્રણેય વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube