નવી દિલ્હી: રક્ષામંત્રી રાજનાથ સિંહે રવિવારે સીડીએસ જનરલ બિપિન રાવત અને ત્રણેય સેનાઓના પ્રમુખો સથે લદ્દાખમાં સ્થિતિ પર ઉચ્ચ સ્તરીય બેઠક કરી. સૂત્રોના અનુસાર રક્ષામંત્રીએ સમીક્ષા બેઠકમાં કહ્યું કે સશસ્ત્ર બળોને વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનની સેનાને કોઇપણ પ્રકારના આક્રમક વલણ સામનો કરવા માટે પુરી સ્વતંત્રતા આપવામાં આવી છે. ચીનને અડીને આવેલી સીમાની રક્ષા માટે ભારતથી અલગ સામરિક રીત અપનાવશે. ભારતીય બળોને પૂર્વી લદ્દાખ અને અન્ય સેક્ટરોમાં ચીનના કોઇપણ દુસાહસનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એરફોર્સના જવાનોની રજા કેન્સલ
સૂત્રોના જણાવ્યા અનુસાર જવાનોની રજા કેન્સલ કરવામાં આવી છે. વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શન આરકેએસ ભદોરિયા ગઇકાલે જ કહી ચૂક્યા છે કે વાયુસેના કોઇપન પડકાર માટે તૈયાર છે. 
 
ભારતીય સૈનિકોએ ચીનની બર્બરતાનો લીધો બદલો
ગલવાન ઘાટીમાં 15 જૂનના રોજ કમાંડિંગ ઓફિસર કર્નલ બી. સંતોષ બાબૂ શહીદ થયા બાદ ભારતીય જવાનોને ચીની સેના પર કહેર વર્તાર્યો છે. ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકોએ ચીની બર્બરતાનો બદલો લીધો. ભારતીય જવાનોએ ચીનના સૈનિકોની ગરદન તોડી દીધી. ચીનના ઘણા સૈનિકોની કમર તોડી તોડી દીધી. સૂત્રોના અનુસાર ભારત-ચીનના સૈનિકોની વચ્ચે લગભગ 4 કલાક સુધી ઝપાઝપી થઇ હતી. 


એટલું જ નહી, ભારતીય સેનાએ ગલવાન ઘાટીમાં ચીનના ગુરૂરને ચકનાચૂર કરી દીધો છે. હિંદના જાંબાજોના શૌર્યથી ચીનની તાકાત પર એવું ગ્રહણ લાગ્યું કે જેની ટીસ ચીન ક્યારેય પણ ભૂલી શકશે નહી. સૂત્રોના અનુસાર ગલવાન ઘાટીની ઝડપમાં ભારતીય સેનાના ચીનના એક કર્નલને જીવતો પકડી લીધો હતો. ભારતીય સેનાના સાથે ટકરાવમાં ચીનના 45 થી 50 સૈનિકો મારી દીધા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube