નવી દિલ્હી: બદલાતા સમયને જોઇને ભારતે અવકાશમાં રહીને દેશની સુરક્ષા કરવાની રાખવાની તૈયારી શરૂ દીધી છે. અવકાશમાં ભારતની સુરક્ષા શક્તિ વધારવાની જવાબદારી ઇસરો અને ડીઆરડીઓને સોંપવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે, કે ગત મહિને એન્ટી-સેટેલાઇટ (ASAT) મિસાઇલના સફળ પરિક્ષણ આ કડીનો એક મહત્વનો ભાગ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: શારદા ચિટ ફંડ મામલે વધી શકે છે કોલકાતાના પૂર્વ કમિશ્નર રાજીવ કુમારની મુશ્કેલીઓ


ભારત ભવિષ્યને જોતા અવાકશમાં દુશ્મનના ઇરાદાને તોડવાની ક્ષમતા વિકસિત કરી રહ્યું છે. ડીઆરડીઓના પ્રમુખ જી સતીશ રેડ્ડીએ શનિવારે કહ્યું કે, સેટેલાઇટ એન્ટિ-મિસાઈલની સફળ પરીક્ષા સાથે, ભારત અવકાશના 1000 કિલોમીટરની અંતર્ગત લક્ષ્યાંકને નષ્ટ કરવા સક્ષમ છે અને વૈશ્વિક અવકાશી સંપત્તિને ભંગારના ભયથી બચાવવા માટે, આ મિશન નીચલા વર્ગમાં પસંદ કરવામાં આવ્યું હતું.


વધુમાં વાંચો: લાલુના બચાવમાં RJD નેતાનું વિવાદિત નિવેદન, જજ પણ ફોનથી જેલમાં કરે છે વાત


ભારતની પાસે કેટલા છે લોન્ચર
જ્યારે તેમને પુછવામાં આવ્યું કે, શું એક સાતે કેટલી સેટેલાઇટોને નષ્ટ કરી શકાય છે તો તેમણે કહ્યું કે, 'અહીં પ્રશ્ન એ ઉભા થયા છે કે અમારી પાસે કેટલા લોન્ચર છે અને ઘણા લોન્ચર હોવા પર વિવિધ સેટેલાઇટોને લક્ષ્યાંકિત કરી શકાય છે. પરંતુ, વિવિધ (ગોલ) ચોક્કસપણે વ્યવહારુ છે. '


વધુમાં વાંચો: ALTO 800 ના ચાહકોને ઝટકો, કંપની બંધ કરશે પ્રોડક્શન, કારણ છે ચોંકાવનારૂ


ભારતે 27 માર્ચે સેટેલાઇટ વિરોધી મિસાઇલથી અવકાશમાં તેમની એક મિસાઇલને નષ્ટ કરી હતી અને આ જટિલ ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ તેઓ અમેરિકા, રૂસ અને ચીનના મુખ્ય ક્લબમાં સામેલ થઇ ગયું છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...