નવી દિલ્હી: દેશમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 18 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ આંકડો 209 દિવસમાં સૌથી ઓછો નોંધાયેલો આંકડો છે. દેશમાં એક દિવસમાં કોરોનાથી 263 લોકોના મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

209 દિવસમાં સૌથી ઓછા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 18,346 દર્દીઓ નોંધાયા છે. જે છેલ્લા 209 દિવસમાં સૌથી ઓછો આંકડો છે. હાલ દેશમાં 2,52,902 દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં હાલ કોરોના વાયરસથી રિકવરી રેટ 97.93% ટકા છે. નવા નોંધાયેલા કુલ કેસમાંથી 8,850 કેસ એકલા કેરળમાં નોંધાયા છે. જ્યારે 149 મૃત્યુ નોંધાયા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube