નવી દિલ્હી: દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 180 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. 


નવા 20 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 20,799 કેસ નોંધાયા છે. ગઈ કાલે દેશમાં 22,842 નવા કેસ નોંધાયા હતા. દેશમાં હાલ 2,64,458 દર્દીઓ સારવાર હેઠળ છે. સતત ઘટી રહેલા એક્ટિવ કેસ એક સારો સંકેત કહી શકાય. એક દિવસમાં કોરોનાથી 26,718 લોકો રિકવર થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,31,21,247 થઈ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube