નવી દિલ્હી: દેશમાં કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. નવા 2.09 લાખની આસપાસ કેસ નોંધાયા છે. જો કે મૃત્યુઆંક વધી રહ્યો છે તે ચિંતાજનક છે. ગઈ કાલે દેશમાં કોરોનાના નવા 2,34,281 કેસ નોંધાયા હતા જ્યારે 893 લોકોના એક દિવસમાં મોત નોંધાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા 2.09 લાખ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી નવા 2,09,918 કેસ નોંધાયા છે. આ દરમિયાન 2,62,628 લોકો કોરોનાને માત આપીને રિકવર પણ થયા છે. હાલ દેશમાં 18,31,268 દર્દીઓ સારવાર હેઠળ છે જે કુલ કેસના 4.43% છે. ડેઈલી પોઝિટિવિટી રેટ 15.77% છે. નવા કેસમાં 10.4% નો ઘટાડો જોવા મળ્યો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube