નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસના નવા 27 હજારથી વધુ કેસ નોંધાયા છે. ગઈ કાલ કરતા આજે નોંધાયા કેસમાં 4.7 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગઈ કાલે દેશમાં કોરોનાના 28,591 નવા કેસ નોંધાયા હતા. તથા 338 લોકોના કોરોનાથી મોત થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા 27 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 27,254 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 3,32,64,175 પર પહોંચી ગઈ છે. હાલ 3,74,269 દર્દીઓ સારવાર હેઠળ છે. જો કે 37,687 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,24,47,032 દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર થયા છે. 


219 લોકોએ જીવ ગુમાવ્યા
સરકારી આંકડા મુજબ એક દિવસમાં કોરોનાએ 219 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કુલ મૃત્યુઆંક 4,42,874 પર પહોંચ્યો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 74,38,37,643 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 53,38,945 ડોઝ છેલ્લા 24 કલાકમાં અપાયા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube