નવી દિલ્હી: દેશમાં કોરોનાની રફતાર ઘટી રહી છે. ગત મહિને જ્યાં લાખોની સંખ્યામાં સંક્રમણના કેસ સામે આવી રહ્યા હતા ત્યાં હવે કોરોનાના દૈનિક કેસની સંખ્યા ઘટીને 30 હજારની નીચે ગઈ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 27 હજાર જેટલા કેસ નોંધાયા છે. જ્યારે તેની સામે 82,817 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક દિવસમાં 27 હજાર નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 27,409 કેસ નોંધાયા છે. જ્યારે 82,817 દર્દીઓ રિકવર થયા છે. હાલ દેશમાં 4,23,127 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં 4,17,60,458 લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જે જોતા કોરોનાની ત્રીજી લહેર ઓસરી રહી હોવાના સંકેત છે. જે રાહતના સમાચાર છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube