નવી દિલ્હી: કોરોના (Corona virus) ના નવા કેસમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 29 હજાર જેટલા કેસ નોંધાયા છે. જ્યારે 415 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા 29 હજાર કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 29,689 કેસ નોંધાયા છે. ગઈ કાલે દેશમાં કોરોનાના નવા 39,361 કેસ નોઁધાયા હતાં. જે જોતા કોરોનાના કેસમાં માતબાર ઘટાડો થયો છે. હાલ દેશમાં 3,98,100 દર્દીઓ સારવાર હેઠળ છે. 


એક દિવસમાં 415 દર્દીઓના મોત
કોરોનાએ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 415 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 4,21,382 પર પહોચ્યો છે. એક દિવસમાં 42,363 દર્દીઓ સાજા પણ થયા છે. દેશમાં કોરોનાથી કુલ રિકવરીનો આંકડો 3,06,21,469 થયો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube