નવી દિલ્હી: ભારતમાં આજે કોરોનાના નવા કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 30 હજાર જેટલા કેસ નોંધાયા છે. જ્યારે 374 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 


નવા 30 હજાર જેટલા કેસ
આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 30,093 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો હવે 3,11,74,322 થયો છે. જ્યારે એક દિવસમાં 45,254 દર્દી રિકવર થયા છે. અત્યાર સુધીમાં 3,03,53,710 દર્દીઓ સાજા થયા છે. હાલ દેશભરમાં 4,06,130 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઈ કાલે કોરોનાના 38,164 નવા કેસ નોંધાયા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube