નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. એક દિવસ પહેલાની સરખામણીમાં આજે નવા કેસની સંખ્યામાં 9 ટકા જેટલો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 32,937 નવા કેસ નોંધાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકમાં 32 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં 32,937 નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 3,22,25,513 પર પહોંચી ગઈ છે. આ અગાઉ રવિવારે 36,083 કેસ નોંધાયા હતા. જ્યારે એક દિવસમાં 417 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાએ 4,31,642 લોકોનો ભોગ લીધો છે. 


સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં ભારતમાં 35,909 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,14,11,924 દર્દીઓ રિકવર થવામાં સફળ થયા છે. રિકવરી રેટ વધીને 97.48 ટકા પર પહોંચ્યો છે. નવા કેસમાં ઘટાડો અને ઠીક થનારા લોકોની સંખ્યા વધુ હોવાના લીધે એક્ટિવ કેસમાં પણ ઘટાડો થયો છે. દેશમાં હાલ 3,81,947 લોકો સારવાર હેઠળ છે. જે કુલ કેસના 1.18 ટકા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube