નવી દિલ્હી: દેશમાં હવે કોરોનાના નવા કેસ અને મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી લહેરનો પ્રકોપ શમી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 34 હજાર કેસ નોંધાયા છે. જ્યારે 553 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ દેશમાં એક દિવસમાં નવા 39,796 કેસ નોંધાયા હતા અને 723 દર્દીઓના મોત થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક દિવસમાં નવા 34,703 કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 34,703 દર્દીઓ નોંધાયા છે.  111 દિવસ બાદ આટલા ઓછા કેસ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 3,06,19,932 થયો છે. એક દિવસમાં 51,864 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા છે. અત્યાર સુધીમાં કુલ 2,97,52,294 દર્દીઓ રિકવર થયા છે. જ્યારે 4,64,357 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube