નવી દિલ્હી: દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 35 હજારથી વધુ કેસ નોંધાયા છે જ્યારે 483 લોકોના મોત થયા છે. ગઈ કાલે કોરોનાના 41,383 કેસ નોંધાયા હતા અને 507 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા હતા. 


40 હજારથી નીચે ગયા કોરોનાના દૈનિક કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 35,342 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 3,12,93,062 પર પહોંચી ગયો છે. હાલ દેશમાં 4,05,513 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 38,740 લોકો રિકવર થયા છે.આ સાથે કોરોનાથી કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા 3,04,68,079 થઈ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube