નવી દિલ્હી: કોરોનાના નવા કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે.  દેશભરમાં છેલ્લા 24 કલાકમાં વાયરસના 38 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા કેટલાક દિવસથી સતત 40 હજારથી વધુ નવા કેસ નોંધાતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

38 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રલાયે આજે સવારે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 38,948 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 3,30,27,621 પર પહોંચી ગયો છે. ગઈ કાલે દેશમાં કોરોનાના 42,766 નવા કેસ નોંધાયા હતા. હાલ દેશમાં કોરોનાના 4,04,874 દર્દીઓ સારવાર હેઠળ છે. 


એક દિવસમાં 219 લોકોના મૃત્યુ
સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 219 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો હવે 4,40,752 પર પહોંચી ગયો છે. જો કે એક દિવસમાં 43,903 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ પણ થયા. અત્યાર સુધીમાં દેશમાં કુલ 3,21,81,995 દર્દીઓ રિકવર થયા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube