નવી દિલ્હી: દેશમાં કોરોના (Coronavirus) ની બીજી લહેરનો પ્રકોપ હવે ઓછો થવા લાગ્યો છે. 24 કલાકમાં કોરોનાના 40 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. જ્યારે 723 લોકોના મોત થયા છે. ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ એક દિવસમાં 43,071 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 955 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા હતા. 


એક દિવસમાં 40 હજારથી ઓછા કોરોનાના નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 39,796 દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશમાં કુલ કોરોના સંક્રમિતોનો આંકડો હવે 3,05,85,229 પર પહોંચી ગયો છે. જ્યારે 4,82,071 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 42,352 દર્દીઓ રિકવર થયા છે. આ સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 2,97,00,430 પર પહોંચી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube