Corona Update: દેશમાં કોરોના (Corona) ની સ્થિતિ પાછી ચિંતાજનક જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 43 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 911 લોકોના કોરોનાથી જીવ ગયા છે. ગઈ કાલે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ એક દિવસમાં કોરોનાના નવા 45,892 કેસ નોંધાયા હતા. જ્યારે 817 લોકોના કોરોનાથી મોત થયા હતા. 


એક દિવસમાં કોરોનાના 43 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 43,393 કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 3,07,52,950 પર પહોંચ્યો છે. એક દિવસમાં 44,459 દર્દીઓ કોરોનાથી રિકવર થયા છે. અત્યાર સુધીમાં 2,98,88,284 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. હાલ દેશમાં 4,58,727 લોકો સારવાર હેઠળ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube