નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus) ના નવા 44 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 738 લોકોના કોરોનાથી જીવ ગયા છે. ગઈ કાલે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ નવા 46,617 કેસ નોંધાયા હતા અને એક દિવસમાં 853 લોકોના મોત થયા હતા. 


એક દિવસમાં 44 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 44,111 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 3,05,02,362 પર પહોંચી ગઈ છે. જેમાંથી 4,95,533 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. એક દિવસમાં 57,477 દર્દીઓ કોરોનાથી રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 2,96,05,779 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube