નવી દિલ્હી: દેશમાં કોરોનાના નવા કેસ અને મૃત્યુની સંખ્યામાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 46 હજારથી વધુ કેસ નોંધાયાં છે જ્યારે કોરોનાથી 1005 લોકોના મૃત્યુ થયા છે. ગઈ કાલે જાહેર થયેલા સરકારી આંકડા મુજબ કોરોનાના નવા 45,951 કેસ નોંધાયા હતા અને 817 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા હતા. 


નવા કેસમાં સામાન્ય વધારો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 48,786 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો હવે 3,04,11,634 પર પહોંચી ગયો છે. એક દિવસમાં 1005 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક હવે 3,99,459  થયો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube