નવી દિલ્હી: સતત ઘટાડા બાદ આજે કોરોનાના દૈનિક કેસમાં વધારો નોંધાયો છે. મૃત્યુઆંકમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 50 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 1,358 લોકોના મૃત્યુ થયા છે. ગઈ કાલે આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ એક દિવસમાં કોરોનાના નવા 42,640 દર્દીઓ નોંધાયા હતા અને 1,167 દર્દીઓના કોરોનાથી જીવ ગયા હતા. 


નવા કેસ વળી પાછા વધ્યા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 50,848 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો હવે 3,00,28,709 થઈ ગયો છે. એક દિવસમાં 68,817 દર્દીઓએ કોરોનાને માત આપી. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા હવે 2,89,94,855 થઈ છે. હાલ 6,43,194 દર્દીઓ સારવાર હેઠળ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube