નવી દિલ્હીઃ ભારતે ઓડિશાના તટની પાસે ડો. એપીજે અબ્દુલ કલામ દ્વીપથી નવી પેઢીની પરમાણુ સક્ષમ બૈલિસ્ટિક મિસાઇલ 'અગ્નિ પી'નું શનિવારે સફળ પરીક્ષણ કર્યુ છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ આ જાણકારી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અગ્નિ પી બે તબક્કાવાળી કેનિસ્ટરાઇઝ્ડ સોલિડ પ્રોપેલન્ટ બેલિસ્ટિક મિસાઇલ છે જેમાં ડ્યુઅલ સ્ટેન્ડબાય નેવિગેશન અને માર્ગદર્શન સિસ્ટમ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એએનઆઈના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પરમાણુ સક્ષમ રણનીતિક મિસાઇલ અગ્નિ પ્રાઇમમાં ઘણા નવા ફીચર જોડવામાં આવ્યા છે. તેની મારક ક્ષમતા 1000થી 2000 કિમી વચ્ચે છે. અગ્નિ-પી બૈલિસ્ટિક મિસાઇલનું વજન અગ્નિ-5થી 50 ટકા ઓછુ છે અને તેને ટ્રેન અને રસ્તા પરથી લોન્ચ કરી શકાય છે. 


કિસાન આંદોલનનું રાજકીય પરિણામ, ગુરનામ સિંહ ચઢૂનીએ બનાવી પાર્ટી, લડશે પંજાબની ચૂંટણી  


રાજનાથ સિંહે આપી શુભેચ્છા
રક્ષામંત્રી રાજનાથ સિંહે અગ્નિ-પી સફળ ઉડાન પરીક્ષણ માટે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) ને શુભેચ્છા આપતા ખુશી વ્યક્ત કરી છે. સિંહ સિવાય કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયકે પણ અગ્નિ-પીના સફળ પરિક્ષણ માટે શુભેચ્છા આપી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube