નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણી ઢૂંકડી છે. રાજકીય પક્ષોના એકબીજા પર આકરા પ્રહાર ચાલુ છે. આ વખતે ચૂંટણીમાં મોહરા તૈયાર છે પરંતુ મુદ્દા કયા હશે, જે રાજપથનો રસ્તો નક્કી કરશે. આ સવાલોના જવાબ શોધાઈ રહ્યાં છે. આજે  ZEE NEWSના મંચ પર  રાજનીતિનો મહાસંવાદ એટલે કે ચોકીદારોનું સૌથી મોટા સંમેલનનું આયોજન કરાયું છે. 2019ના સૌથી મોટા રાજનીતિક મંચ પર આજે સવારે 10 કલાકથી સતત તમારા દરેક સવાલનો જવાબ મળશે. રાજનીતિક મંચ પર રાજનીતિના દરેક મોટા ખેલાડી આજે  ZEE ન્યૂઝના મંચ પર દેશથી રૂબરી થઈ રહ્યાં છે. અનેક મુદ્દાઓ પર મોટી ચર્ચા થઈ રહી છે..... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIVE અપડેટ...


- તમે મુસલમાનોને કાશ્મીરના અલગાવવાદીઓ સાથે ન જોડો-મુખ્તાર અબ્બાસ નકવી


- મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે મોદીજીના રાજમાં કોઈ તોફાન નથી થયાં. મોદીજી તૃષ્ટિકરણ વગર વિકાસ કરવામાં વિશ્વાસ ધરાવે છે. 


- મોદી સરકારની અનેક યોજનાઓથી અલ્પસંખ્યકો મુખ્યપ્રવાહમાં સામેલ થયા છે.-નકવી


- મોદીજીએ ફક્ત હિન્દુઓના વિકાસ માટે જ કામ નથી કર્યું. તેમની પાસે કોઈ આંકડા નથી કે તેમણે મુસ્લિમોનું શું ભલુ કર્યું છે. 


- કેન્દ્રીય અલ્પસંખ્યક મામલાના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે આ વખતે મોદીજીને મુસ્લિમોના 35-40 ટકાથી વધુ મતો મળશે. મોદીજી સમાજના દરેક તબક્કાના વિકાસ માટે કામ કરે છે. 


- તેજ પ્રતાપ યાદવે કહ્યું કે નરેન્દ્ર મોદીએ યુવાઓને ઠગવાનું કામ કર્યું છે. રાહુલ ગાંધી યુવાઓનો અવાજ છે. ઓવૈસી પોતાની રીતે કામ કરી રહ્યાં છે. 


- તેમણે કહ્યું કે હું બિહારમાં રાજનીતિ કરવા માંગુ છું. છપરા બેઠક પર કોી બહારનું આવશે તો હું તેના વિરુદ્ધ ચૂંટણી લડીશ. 


- લાલુના પરિવારને જે લડાવવા માંગે છે તે જનતા જાણે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...