નવી દિલ્હી: ભારતીય સેનાએ ફરીથી એકવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકી કેમ્પોને નિશાન બનાવ્યાં છે. તંગધાર સેક્ટરમાં એલઓસી નજીક પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા આતંકી કેમ્પો પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ ભારતીય સેનાએ આતંકી ઘૂસણખોરીના જવાબમાં આ કાર્યવાહી કરી છે. આ કેમ્પોનો ઉપયોગ એક લોન્ચપેડ તરીકે કરવામાં આવતો હતો. અત્રે જણાવવાનું કે આજે જે પાકિસ્તાનના સંઘર્ષવિરામ ભંગમાં કરાયેલા ફાયરિંગથી બે ભારતીય જવાનો શહીદ થયા અને એક નાગરિકનું મોત થયું તથા અનેક ઘાયલ થયાં.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

J&K: પાકિસ્તાને કૂપવાડામાં સીઝફાયરનો કર્યો ભંગ, ફાયરિંગમાં 2 જવાન શહીદ, એક નાગરિકનું મોત


હાલ ભારતીય સેના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તે અગાઉ સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટમાં આતંકી ઠેકાણાઓ પર કરાયેલી ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઈક બાદ ત્રીજી સૌથી મોટી કાર્યવાહી છે. પાકિસ્તાન દ્વારા કરાયેલી નાપાક હરકતનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. આ હુમલામાં પીઓકેની નીલમ વેલીના 4 આતંકી લોન્ચ પેડ્સ તબાહ કરાયા છે. આ આતંકી કેમ્પોમાં રહેલા આતંકીઓને ભારત મોકલવાની તૈયારી હતી. આ ઉપરાંત એવી પણ માહિતી મળી છે કે પાકિસ્તાન આર્મીના 4-5 સૈનિકો પણ માર્યા ગયા છે. અનેક ઈજાગ્રસ્ત થયા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...