જમ્મુ: ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરીની કોશિશને નિષ્ફળ બનાવી છે. સેનાએ 3 ઘૂસણખોરોને ઠાર કર્યા છે. પાકિસ્તાનની આર્મી આ આતંકવાદીઓની ભારતમાં ઘૂસણખોરી કરાવવા માંગતી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાની સેના ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરાવવાની કોશિશ કરી રહી હતી. આથી પાકિસ્તાનની સેના કેટલાય દિવસોથી નૌશેરા, પૂંછ, અને હીરાનગર સહિત અનેક સેક્ટરોમાં ફાયરિંગ કરી રહી છે. ગઈ કાલ રાતથી મેંઢર અને નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની સેના તરફથી ફાયરિંગ થઈ રહ્યું હતું. મોર્ટાર પણ છોડવામાં આવતા હતાં. જેનાથી સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને નુકસાન થયું છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube