નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ સરહદ પાર કરીને જે 'પરાક્રમ' કર્યું છે, તેને ભારતીય સેનાએ રાષ્ટ્ર કવિ રામધારી સિંહ દિનકરની કવિતાની પંક્તિઓના માધ્યમથી કંઈક આ અંદાજમાં ટ્વીટ કરીને વર્ણવી હતી. સૌથી ખાસ વાત એ છે કે પ્રથમ ટ્વીટ 25 જાન્યુઆરીની સાંજે જ કરી દેવાઈ હતી. બીજી ટ્વીટ 26 જાન્યુઆરીના રોજ વહેલી સવારે 5.30 કલાકે કરવામાં આવી, જ્યારે વાયુસેના બાલાકોટમાં આતંકી કેમ્પોનો સફાયો કરી ચૂકી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેના 24 કલાક બાદ 27 ફેબ્રુઆરીના રોજ સવારે ફરી ત્રીજી પંક્તી ટ્વિટ કરવામાં આવી હતી અને જણાવ્યું કે, સેના આપણી સરહદોને સુરક્ષી રાખવાનું આશ્વાસન આપે છે. આ ટ્વીટ સેનાના એડિશનલ ડિરેક્ટર, માહિતી પ્રસારના આધિકારિક ટ્વિટર હેન્ડલ પરથી કરાઈ હતી. 


દિલ્હીઃ વિદેશ મંત્રાલયે પાક.ના નાયબ હાઈકમિશનર સૈયદ હૈદર શાહને બોલાવ્યા


ભારતની કાર્યવાહી બાદ બુધવારે પાકિસ્તાની એરફોર્સમાં ભારતીય બોર્ડરમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. તેના જવાબમાં ભારતીય વાયુસેનાએ નૌશેરા સેક્ટરના લામ ઘાટીમાં પાકિસ્તાની F-16નું એક વિમાનને તોડી પાડ્યું છે. તોડી પાડ્યા બાદ આ વિમાન પીઓકેના વિસ્તારમાં જઇ પડ્યું હતું. તે વિમાનમાંથી પેરાશૂટથી એક પાયલોટને ઉતરતા પણ જોવા મળ્યો હતો. આ અંગે એરવાઈસ માર્શલ આર.જે.કે. કપૂરે પત્રકારોને વિગતવાર માહિતી આપી હતી. 


ગભરાયેલા પાક. પીએમ ઈમરાન ખાને કહ્યું, "અમે દરેક મુદ્દે વાટાઘાટો કરવા તૈયાર"


તેમણે વધુમાં જણાવ્યું કે, "ભારત દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી બાદ ગભરાઈ ગયેલા પાકિસ્તાનની વાયુસેનાના વિમાનો આજે એટલે કે બુધવારે સવારે જમ્મુ-કાશ્મીરની સરહદમાં પ્રવેશ્યા હતા. ભારતની વાયુસેના આ વળતા હુમલા માટે તૈયાર હોવાને કારણે તેણે આ હુમલાનો તરત જ જવાબ આપ્યો હતો અને પાકિસ્તાનનું એક F-16 વિમાન તોડી પાડ્યું હતું. આ જવાબી કાર્યવાહીમાં ભારતને પણ તેનું એક મીગ-21 ગુમાવાનો વારો આવ્યો હતો."


રવિશ કુમારે જણાવ્યું કે, "ભારતના તુટી પડેલા મીગ-21 વિમાનનો પાઈલટ ગાયબ છે. પાકિસ્તાન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે આ પાઈલટ તેમના કબ્જામાં છે. જોકે, ભારત સરકાર આ બાબતની વધુ તપાસ કરી રહી છે અને વિગતો મેળવી રહી છે. જ્યારે વધુ વિગતો પ્રાપ્ત થશે ત્યારે મીડિયાને વધુ માહિતી આપવામાં આવશે."


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...