મુંબઈ: વાવાઝોડા તૌકતેની ઝપેટમાં આવી ગયેલા જહાજ Barge P-305 પરથી અત્યાર સુધીમાં 37 મૃતદેહ મળી આવ્યા છે. હજુ પણ ભારતીય નેવી અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની ટીમ ગૂમ થયેલા 36 લોકોની શોધમાં રેસ્ક્યૂ ઓપરેશન કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધીમાં 188 લોકોને સુરક્ષિત રેસ્ક્યૂ કરાયા
Barge P-305 પર સવાર કુલ 261 લોકોમાંથી 188  લોકોને ઈન્ડિયન નેવી અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે રેસ્ક્યૂ કરી લીધા છે. નેવીના એક પ્રવક્તાએ જણાવ્યું કે શોધ અને બચાવ અભિયાન હાલ ચાલુ છે. લોકોને કિનારા સુધી સુરક્ષિત લઈ જવાની આશા અમે હજુ છોડી નથી. 


સર્ચ ઓપરેશનમાં INS કોચ્ચિ અને INS કોલકાતા તૈનાત
સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપેરશનમાં  INS Kochi અને INS Kolkata ની સાથે સાથે ઈન્ડિયન નેવીના Beas, Betwa અને Teg Naval Ships પણ કામે લાગેલા છે. Barge P305 મુંબઈથી 35 નોટિકલ માઈલ્સના અંતરે ડૂબ્યુ  હતું. સર્ચ અને રેસ્ક્યૂના કામમાં P8I અને નેવલ હેલિકોપ્ટર્સની પણ મદદ લેવાઈ રહી છે. 


Cyclone Tauktae ની અસર, દિલ્હીમાં વરસી રહ્યો છે કમૌસમી વરસાદ, 70 વર્ષ જૂનો આ રેકોર્ડ પણ તૂટ્યો


સમુદ્રમાં ફસાયેલા 622 લોકોને અત્યાર સુધીમાં સુરક્ષિત રેસ્ક્યૂ કરાયા
બાર્જ P-305 જહાજથી 188 લોકો ઉપરાંત GAL Constructor જહાજમાં ફસાયેલા તમામ 137 લોકોને ઈન્ડિયન નેવી અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે રેસ્ક્યૂ કરી લીધા છે. Barge SS3ના 196 લોકો અને Drill Oil સાગર Bhushan ના 101 લોકોને પણ સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરાયા છે. 


Corona: વૈજ્ઞાનિકોની ચેતવણી, જો કોરોના રસીકરણમાં તેજી નહીં લવાય તો 6-8 મહિનામાં આવશે ત્રીજી લહેર


ફસાયેલા લોકોની જાણકારી માટે હેલ્પલાઈન નંબર 
Barge P305 માં ફસાયેલા લોકોની જાણકારી માટે હેલ્પલાઈન નંબર બહાર પાડવામાં આવ્યા છે. 


AFCONS હેલ્પડેસ્ક અને સપોર્ટ ટીમ: 
કરણદીપ સિંહ-  +919987548113, 022-71987192
પ્રસૂન  ગોસ્વામી- 8802062853


ઓએનજીસી હેલ્પલાઈન: 
022-2627 4019
022-2627 4020
022-2627 4021


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube