ભડકાઉ ભાષણ આપવા મામલે દિલ્હી પોલીસે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી વિરુદ્ધ પણ એફઆઈઆર દાખલ કરી છે. અત્રે જણાવવાનું કે દિલ્હી પોલીસની IFSO યુનિટે હાલમાં જ ભડકાઉ નિવેદનો  બદલ નુપુર શર્મા, નવીન જિંદાલ, સહિત અનેક લોકો પર કેસ દાખલ કર્યો. હવે સામે આવ્યું છે કે આ એફઆઈઆરમાં અસદુદ્દીન ઓવૈસી અને સ્વામી યતિ નરસિમ્હાનંદનું પણ નામ  સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નુપુર શર્માની પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણીના પગલે ઘમાસાણ છેડાયું છે. અરબ દેશોએ પણ નુપુર શર્માની ટિપ્પણી પર આકરું વલણ અપનાવ્યું અને ટીકા કરી. વિવાદ બાદ દિલ્હી પોલીસે કડકાઈ દર્શાવી અને અનેક લોકો વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવાના આરોપસર એફઆઈઆર દાખલ કરી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube