નવી દિલ્હી: ગુપ્તચર એજન્સીઓએ ભારતીય સુરક્ષા દળોને આંતરરાષ્ટ્રીય સરહદ અને લાઈન ઓફ કંટ્રોલ પાસે પાણીના રસ્તે પેટ્રોલિંગ વધારવાનું કહ્યું છે. ગુપ્તચર એજન્સીઓએ એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ નજીક વિભિન્ન લોન્ચ પેડ્સ પર રબરની નાની બોટ જોઈ છે. ગુપ્તચર એજન્સીનો દાવો છે કે પાકિસ્તાની આતંકીઓ પાણીના રસ્તે રબરની આ નાનકડી બોટ દ્વારા ઘૂસણખોરી કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક 13 નાના પાણીના રસ્તાઓને રેખાંકિત કરાયા છે. જેમાં અખનૂર, સાંબા અને કઠુઆ સામેલ છે. આ ઉપરાંત કાશ્મીરના ગુરેજ સેક્ટરને પણ હાઈ અલર્ટ પર રાખવામાં આવેલ છે. 


એવા સમાચાર છે કે આતંકીઓ ઘૂસણખોરી માટે કૃષ્ણા ઘાટીના રસ્તાનો પણ ઉપયોગ કરી શકે છે. 2011માં પણ આતંકવાદીઓએ એ જ રીતે ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી જેને નિષ્ફળ બનાવવામાં આવી હતી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...