નવી દિલ્હી: નાગરિકતા કાયદા પર થઈ રહેલા વિરોધને જોતા આજે જુમ્માની નમાજ પહેલા ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. યુપીના 14 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ  કરી દેવાઈ છે. જે જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ છે તેમાં ગાઝિયાબાદ (ગત રાત 10 વાગ્યાથી), બુલંદશહેર, આગરા, સંભલ, મુઝફ્ફરનગર, બિજનોર, સહારનપુર, ફિરોઝાબાદ, અલીગઢ, મથુરા, શામલી, કાનપુર, સીતાપુર, અને મેરઠ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારે શરૂ કરી કાર્યવાહી
આ બાજુ હવે સરકારે ઉપદ્રવીઓ સામે આકરી કાર્યવાહી શરૂ કરી દીધી છે. સમગ્ર ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં હિંસા કરનારા અને સાર્વજનિક સંપત્તિઓને નુકસાન પહોંચાડનારાઓની ઓળખ કરીને હવે જિલ્લા વહીવટીતંત્ર તેમને નોટિસ ફટકારી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી સાર્વજનિક અને ખાનગી સંપત્તિઓને નુકસાન પહોંચાડનારા આરોપીી ઓળખ કરીને 373 લોકોને નોટિસ મોકલવામાં આવી છે. 


હકીકતમાં લખનઉ (Lucknow) માં 19 ડિસેમ્બરના રોજ થયેલી હિંસાની ઘટના બાદ યુપીના સીએમ યોગી આદિત્યનાથે નિર્દેશ આપ્યા હતાં કે જે લોકોએ પ્રદર્શન દરમિયાન જાહેર સંપત્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું તેમની ઓળખ કરીને તેમની પાસેથી વસૂલાત કરવામાં આવે. નોટિસમાં મોટાભાગના એવા લોકો સામેલ છે જેમની ઓળખ વિરોધ પ્રદર્શન અને ધરપકડ વખતે લેવાયેલા વીડિઓ અને તસવીરોને સ્કેન કરીને કરાઈ છે. 


કયા કયા જિલ્લામાં મોકલાઈ નોટિસ
રામપુર, સંભલ સહિત મુરાદાબાદ મંડલમાં 200, લખનઉમાં 110, ફિરોઝાબાદમાં 29, ગોરખપુરમાં 34, રામપુરમાં 28 ઉપદ્રવીઓને સંપત્તિ વસૂલીની નોટિસ મોકલવામાં આવી છે. બિજનોરમાં 20 ડિસેમ્બરે થયેલા હિંસક પ્રદર્શન દરમિયાન થયેલા નુકસાનની આકરણી કર્યા બાદ જિલ્લા વહીવટીતંત્રે 43 લોકોને વસૂલાતની નોટિસ ફટકારી છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....