મનમીત ગુપ્તા/લખનઉ : સંઘ સરકાર્યવાહ ભૈયાજી જોશીના 2025 સુધી રામ મંદિર નિર્માણવાળા નિવેદન પર ઈકબાલ અન્સારીએ પલટવાર કર્યો છે. બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અન્સારીએ મોટો સવાલ ઉભો કરતા કહ્યું કે, જ્યારે અયોધ્યા મામલો સુપ્રિમ કોર્ટમાં છે, તો નેતા કેવી રીતે તેની તારીખ નક્કી કરી શકે છે. તેમનું એમ પણ કહેવું છે કે, આ પ્રકારના નિવેદનથી મોદી સરકારની જ બદનામી થશે. કેમ કે, કેન્દ્ર સરકાર અને યુપીની યોગી આદિત્યનાથ સરકાર, બંને બહુ જ સારુ કામ કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભડકો થાય તેવી વાત કહી શિવસેનાએ, બાળાસાહેબ ઠાકરે ન હોત તો હિન્દુઓને પણ નમાજ પઢવાનો વારો આવ્યો હોત


ઈકબાલ અન્સારીએ એમ પણ કહ્યું કે, અયોધ્યા વિવાદનુ સોલ્યુશન સુપ્રિમ કોર્ટ જ કાઢી શકે છે. સુપ્રિમ કોર્ટ જ તારીખ નક્કી કરી શકે છે અને સુપ્રિમ કોર્ટ જે પણ નિર્ણય લેશે, તે બંને પક્ષ માનશે.


SP-BSPએ રાહુલ ગાંધીના બધા સોગઠાં ઊંધા પાડ્યા, કેવી રીતે મેળવશે યુપીમાં બહુમતી?


આ કાર્યક્રમમાં ભૈયાજી જોશીએ સ્પષ્ટ રીતે કહ્યું કે, રામ મંદિર નિર્માણને લઈને અત્યાર સુધી અનેક ચેલેન્જિસ આવ્યા છે, જેની સામે લડવાની જરૂર છે. તેમના મુજબ, અયોધ્યામાં રામ મંદિર માત્ર એક મંદિરનું નિર્માણ જ નથી, પરંતુ તે કરોડો હિન્દુઓની આસ્થા તેમજ સન્માન સાથે જોડાયેલુ છે.