નવી દિલ્હીઃ Rajasthan Congress Crisis: કોંગ્રેસ પાર્ટીને ભલે મલ્લિકાર્જુન ખડગેના રૂપમાં નવા અધ્યક્ષ મળી ગયા હોય પરંતુ રાજસ્થાનમાં પાર્ટીમાં ચાલી રહેલ ઘમાસાણ હજુ પૂરુ થયું નથી. શનિવારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટના નજીકના મતાના કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે એક એવું નિવેદન આપ્યું જેનાથી રાજ્યમાં મુખ્યમંત્રી બદલવાની ચર્ચા ફરી શરૂ થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૃષ્ણમે જયપુરમાં કહ્યું, હું એટલું કહી શકુ છું કે કોંગ્રેસના નેતૃત્વનો જે પણ નિર્ણય હશે તેને પાર્ટીના દરેક ધારાસભ્યો માનશે અને રાજસ્થાનને ખુબ જલદી એક સારી સવાર જોવા મળશે. 


કૃષ્ણમને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના નજીકના માનવામાં આવે છે. તેમનું આ નિવેદન તેવા સમયમાં આવ્યું છે જ્યારે થોડા દિવસ પહેલા પાયલટે પ્રધાનમંત્રી મોદી દ્વારા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતની પ્રશંતા કરવા પર કટાક્ષ કરતા તેને રોચક ઘટનાક્રમ જણાવ્યો અને પાર્ટી હાઈકમાન્ડને રાજ્યમાં મુખ્યમંત્રી પદને લઈને અનિર્ણયની સ્થિતિને સમાપ્ત કરવાનો આગ્રહ કર્યો હતો. 


આ પણ વાંચોઃ PM Modi Telangana Visit: 'મને રોજ 2-3 કિલો ગાળો મળે છે...' વિરોધીઓ પર બોલ્યા PM મોદી


ગેહલોતના વફાદાર ધારાસભ્યોએ કર્યો હતો બળવો
ઉલ્લેખનીય છે કે 25 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી આવાસ પર કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી. તેને કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી પહેલા રાજ્યમાં મુખ્યમંત્રી બદલવાની કવાયતના રૂપમાં જોવામાં આવ્યું, કારણ કે અશોક ગેહલોતને અધ્યક્ષ પદની રેસમાં આગળ માનવામાં આવી રહ્યાં હતા. 


પરંતુ સીએલપીની બેઠક ન થઈ શકી કારણ કે ગેહલોતના વફાદાર ધારાસભ્યોએ સંસદીય કાર્ય મંત્રી શાંતિ ધારીવાલના આવાસ પર સમાનાંતર બેઠક કરી અને સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવાની સંભાવના વિરુદ્ધ વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીને રાજીનામુ સોંપી દીધુ હતું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube